સર્વસ્વ
તું ભોળો છે,
તું જ અંત છે ને તું જ અંનત છે,
તું જ તો અનાથોનો નાથ છે,
તારા વિશે શું કહું મહાદેવ,
જ્યાં કોઈ નથી હોતુ એ નદીનો કિનારો તું છે,
દરેક નિરાશામાં આશાની કિરણ તું છે,
દરેક સમસ્યામાં સમાધન તું છે,
બધા જ પ્રશ્નોનાં જવાબરૂપી તારું નામ છે,
દરેક જગ્યાએ પ્રગટ થતી જયોતિમાં તેજ સ્વરૂપ તું છે,
તું જ પ્રાણી તથા મનુષ્ય સર્વસ્વનો પાલનહાર છે,
તારા નામ માત્રમાં જ તો જગતનું કલ્યાણ છે,
તું જ સર્વસ્વ અને સર્વવ્યાપી છે.
ડોલી વાધવાની
0 Comments