મારા શબ્દો
શબ્દો બોલી ગયા પછી પાછા વળતા નથી,
એટલે જ સમજી વિચારીને બોલવું,
કહેવત છે ને કે ન બોલવામાં નવ ગુણ,
એટલે જ કદાચ મૌન રહેવું સારું હોય છે,
શબ્દો કીમતી છે,એને સાચવી રાખો,
ખોટી જગ્યાએ વાપરશો તો એ વેડફાશે,
યોગ્ય જગ્યાએ વાપરશો તો,
હીરા ની જેમ અમૂલ્ય બનશે,
આ જ તાકાત છે શબ્દો ની.
માધવી
0 Comments