મહાદેવ ની ભક્ત પત્યેની લાગણી

મહાદેવ ની ભક્ત પત્યેની લાગણી

કારતક સુદ એકમ ૨૦૭૭ ને નવુ વર્ષ હતું.એટલે સવારમાં ફુલ લેવાં નિકળ્યો હતો . અને મારી નજર સ્મશાનમાં પડી. અને મનમાં અચાનક વિચાર આવ્યો કે, સ્મશાનમાં જઈને બેસું .અને હું ત્યાં બેઠો હતો ને પાછળથી મારા ખભા પર હાથ મુકીને કહ્યું કે,
ભક્ત વિપુલ આજે મારા દ્વાર પર ?

મેં પાછળ વળીને નજર કરી , અને બે હાથ જોડીને પગે લાગીને કહ્યું, મહાદેવ તમે અહીં અને મારી પાસે ! મહાદેવ હું તો ધન્ય થઈ ગયો ,આજે તમે મારી પાસે આવ્યા એ માટે.

મહાદેવ એ કહ્યું વિપુલ હું તારી પાસે નથી આવ્યો ,તું મારા દ્વાર પર આવ્યો છે. અને આજે કેમ મારા દ્વાર પર ?

મેં કહ્યું મહાદેવ મનમાં વિચાર આવ્યો કે, આજે સ્મશાનમાં જઈને બેસું એટલે આવી ગયો અહીં. 

મહાદેવ : હા ,અને આજે પહેલી વાર કોઈ માણસને સ્મશાનમાં એમને એમ આવતો જોયો . અને એ પણ આ નવા વર્ષ દરમિયાન ,નહીં તો માણસ સ્મશાનને અપવિત્ર જ માને છે. 

મેં કહ્યું મહાદેવ આ વાત પરથી એક વાત કહેવા માંગુ છું ,કે સ્મશાન જ્યાં માણસનાં પાંચ તત્ત્વોથી બનેલા શરીરને મુક્તિ મળે છે ,એ જગ્યા અપવિત્ર કઈ રીતે હોઈ શકે છે?

મહાદેવ : હા ,વિપુલ આપની વાત સત્ય છે. અને મને લોકો બીજે બધે શોધે છે , હું બધે જ છું પણ મારા દર્શન કરવા હોય, તો હું સ્મશાનમાં જ મળીશ,
મનની શાંતિ માટે .

કેમ કે, આખી દુનિયામાં આ સ્મશાન જ એક એવી જગ્યા છે, જ્યાં હું રહેવાનું વધારે પસંદ કરું છું .અને જ્યાં હું હોવ ત્યાં મનની શાંતિ હોય જ.

મેં કહ્યું, હા મહાદેવ !સત્ય વાત આપની ,પણ મહાદેવ મને એક વાત ના સમજાઈ આપની ! કે હું સ્મશાનમાં આવ્યો. ને તમે અહીં જ રહો વધારે તો પણ ,મને કેમ દર્શન આપ્યાં? અને મારી જોડે પણ વાર્તાલાપ કરો ?

મહાદેવ : વિપુલ તને ખબર તો છે કે, હું કોઈ દિવસ કોઈ મનુષ્ય જોડે એમને એમ તો ના જાવ ,પણ નિઃસ્વાર્થ કર્મ અને નિઃસ્વાર્થ ભક્તિ કરે એ મનુષ્ય જોડે અવશ્ય જાવ છું, જેમ કે તું વિપુલ.

મેં કહ્યું ,મહાદેવ હું કઈ રીતે ?

મહાદેવ : વિપુલ તારા નિઃસ્વાર્થ ભાવે કરેલા કર્મ હું જાણું છું .અને સાંભળ કાલે તું ઘરે આવતો હતો ,અને તે ત્યાં ફૂટપાથ પર બે બાળકોને સૂતાં જોયાં. અને તે તરતજ તારા ઘર માટે લીધેલું ચવાણું તે એ બે બાળકોને આપી દીધું .અને તું બન્નેના માથાં પર હાથ ફેરવીને રીક્ષામાં બેસીને ઘરે જતો રહ્યો .પછી એ બાળકો એ ચવાણુંનું પેકેટ ખોલીને કહ્યું બહુજ ભુખ લાગી હતી ,અને પેલા ભાઈ આ ખાવાનું આપી ગયા. અને એ લોકોને ખબર પણ નહોતી, કે આને ચવાણું કહેવાય છે!

બસ !આવા જ તારા નિઃસ્વાર્થ કર્મો ને કારણે, હું અને શ્રી કૃષ્ણ તને મળતાં રહીએ છીએ અને રહીશું.

મેં કહ્યું ,મહાદેવ હા! તમારી વાત સત્ય છે ,પણ આવી પરિસ્થિતિ કેમ છે એ બે બાળકોની ? તમે બધું જાણો છો તો કાઈ કરોને તમે .

મહાદેવ : વિપુલ એ તો કર્મો છે એ લોકોનાં.

મેં કહ્યું મહાદેવ એ લોકોને ખબર પણ નથી પડતી કે આને ચવાણું કહેવાય એમ, અને કર્મો શું ખરાબ હશે એ શું ખબર એ બાળકોને ?

મહાદેવ : વિપુલ એ લોકોનું ઘર હતું, તેમનાં મા-બાપ પણ છે ,તેમના મા-બાપના ખરાબ કર્મો એ લોકોને પણ ભોગવવા પડે છે .અને માણસનાં જીવનમાં જે પણ સુખ દુઃખ આવે છે. એ માણસ પોતાનાં સારા ખરાબ કર્મો ને કારણે જ ભોગવે છે. પણ માણસ હંમેશા બીજા ઉપર જ ઢોળી દે છે, અને પછી ભોગવતો રહે છે કર્મો. 
અને એક વાત કહી દવ કે, એક દિવસ આ બાળકો ઘણાં સુખ અને શાંતિ વાળું જીવન જીવતાં હશે.

મેં મહાદેવ ની આ વાત સાંભળીને મહાદેવ ને બે હાથ જોડીને નમન કર્યા. 
અને કહ્યું પ્રભુ તમે મારી જોડે આ વાતો કરી એ માટે ખુબ આનંદ થયો, અને મહાદેવ જ્યારે મહાશિવરાત્રિ હોય, એ દિવસે તમે ને માતા પાર્વતી ભક્તો ને મળવા જતાં હશોને?

મહાદેવ : હા વિપુલ ! અમે બન્ને જે નિઃસ્વાર્થ કર્મ અને નિઃસ્વાર્થ ભક્તિ કરે છે ,એવાં ભક્તો જોડે જઈએ છીએ. અને એક વાત કરું! તને જીવનમાં કામ લાગશે. 

મેં કહ્યું, મહાદેવ હા ! બોલો અને ભગવાન કોઈ દિવસ ભક્ત ને ખોટી શીખ, ખોટો માર્ગ ના આપે. 

મહાદેવ : હા વિપુલ! સાંભળ ,હું અને દેવી પાર્વતી શિવરાત્રીના દિવસે વાતો કરતા હતા, અને વાતો વાતોમા દેવી પાર્વતીની એક વાત પર મને ખુબ ગુસ્સો આવ્યો. અને મેં કાળભૈરવનો અવતાર ધરી લીધો હતો. ત્યારે મારો ગુસ્સો શાંત નહોતો થાતો, ત્યારે દેવી પાર્વતીએ બે હાથ જોડીને નમન કરીને પ્રેમથી સાચાં મનથી કહ્યું ક્ષમા કરો પ્રભુ. દેવી પાર્વતીની આ પ્રેમ થી નમન કરતાં જ મારો ગુસ્સો શાંત થઈ ગયો હતો. અને જ્યારે બીજી વાર આવી રીતે વાતો કરતાં હતાં, ત્યારે મારાથી ભુલ થઈ ગઈ હતી . અને દેવી પાર્વતી મહાકાળીના અવતારમાં આવી ગયા હતાં. અને ગુસ્સો શાંત નહોતો થાતો, ત્યારે જે રીતે દેવી પાર્વતીએ મારી ક્ષમા માગી હતી. એજ રીતે મેં બે હાથ જોડીને નમન કરીને પ્રેમ થી મનમાં કહ્યું ક્ષમા કરો દેવી ,અને નમન કરતાં જ દેવી પાર્વતીનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. 

વિપુલ આ વાત પરથી તારે એ શીખ લેવાની કે, જીવનમાં કોઈ પણ મનુષ્ય હોય અને એની જોડે જ્યારે જ્યારે આવી ભુલ થાય, ત્યારે ત્યારે કોઈ પણ સંબંધ હોય , એકદમ શાંત થઈને પ્રેમથી નમન કરીશ, તો એ સંબંધ મુત્યુ પછી પણ અમર રહેશે. 
મેં કહ્યું, મહાદેવ ! તમારી આ વાત મારામા જીવ છે ,ત્યાં સુધી અમલ કરતો રહીશ. અને આપનો ખુબ ખુબ આભાર આવી ખુબ સરસ શીખ આપી એ બદલ.  

મહાદેવ કહ્યું કે ,હા વિપુલ અને હવે મારે જાવું પડશે. મારા બીજા ભક્તો ને પણ મળવાનું છે ,આ નવા વર્ષ દરમિયાન. 

મેં કહ્યું હા મહાદેવ અને કયારેય મળશો હવે મને?

મહાદેવ : વિપુલ હું તો કણ કણમાં છું ,અને હર કોઈ જીવમાં મને જોઈ શકે છે .અને મારી જોડે વાતો પણ કરી શકે છે, બસ નિઃસ્વાર્થ કર્મો કરતાં રહેતાં હોય, અને સાચાં મનથી ભક્તિ કરતા હોય એને જ, જેમ કે તું વિપુલ. 
મેં કહ્યું, હા મારા મહાદેવ !અને હું તેમને પગે લાગ્યો. ને મહાદેવ એ આર્શીવાદ આપ્યાં મને અને પછી જતા રહ્યાં...

આ કળિયુગમાં ભગવાન ક્યાં મળે છે પણ સાચા દિલથી કરેલી સેવા એ આપણને ભગવાનની અનમોલ લાગણીના ભાગીદાર બનાવે છે, અને મહાદેવતો મારા આરાધ્ય દેવ છે ,અને મહાદેવ પ્રત્યેની ભક્તિ છે .અને શ્રી કૃષ્ણ મારો દોસ્ત છે ,અને આ મારા માટે શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે. 

 વિપુલ શ્રીમાળી "Mr Zero"


0 Comments